અમિત શાહે કહ્યું, દુરબીનથી પણ નથી દેખાઇ રહ્યા કોલેજ, અરવિંદ કેજરીવાલે આ માટે આપ્યું આમંત્રણ

બીજેપી અધ્યક્ષ અમિત શાહે દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેજરીવાલે 20 કોલેજ અને 5000થી વધારે સ્કૂલ બનાવવાનું વચન આપ્યું હતું. હું દુરબીન લગાવીને જોઇ રહ્યો છું પરંતુ ક્યાંય દેખાઇ રહ્યું નથી. તેના પર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી પલટવાર કરતા કહ્યું કે, આજે પણ 150 નવા મોહલ્લા ક્લિનિકનું ઉદઘાટન કર્યું છે આવીને જોઇ લો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મેં ગૃહમંત્રી અમિત શાહનું આખું ભાષણ સાંભળ્યું. મને લાગ્યું કે અમારા કામોની ખામીઓ બતાવશે અને દિલ્હીના વિકાસની વાત કરશે. પરંતુ તેઓએ મને ગાળો દેવા સિવાય કંઇ ન કહ્યું. દિલ્હી માટે તેમની પાસે સૂચન હોય તો બતાવે, અમે સારા સૂચનોને આવનારા 5 વર્ષોમાં લાગૂ કરીશુ.

અમિત શાહે કેજરીવાલ પર સાધ્યું નિશાન

આ પહેલા અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કેજરીવાલ સમાચાર પત્રોમાં પોતાની ફોટો વાળી જાહેરાત આપીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અરે તમે કયું કામ પૂર્ણ કર્યું એ તો બતાવો. 5 વર્ષ સરકાર ચલાવ્યા બાદ આપ હવે કામોને શરૂ કરી રહ્યા છો. અમે કહ્યું હતું કે, દિલ્હીમાં અનધિકૃત કોલોનિઓને અધિકૃત કરીશું. નરેન્દ્ર મોદીએ અનધિકૃત કોલોનિયોને અધિકૃત કરવાની શરૂઆત કરી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ