સુરતના પુણાની રઘુવીર સિલિયમ માર્કેટમાં લગભગ ત્રણ વાગ્યાની લાગેલી આગ હજુ સુધી કાબુમાં આવી નથી. જયારે બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જયારે આ આગ ૧૮ કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગે વિકરાળ બનીને માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. જેથી દુકાનોની સાથે તેમાં રહેલ 300 કરોડોનો માલ ખાખ થઇ ગયો છે. હાલ આખા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જોકે હજુપણ આગ કાબુમાં આવતા સવાર થાય તેવું લાગી રહ્યું છે. રઘુવીર સિલિયમ માર્કેટની આગના કોલને મેજર કોલ જાહેર કર્યા બાદથી ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ ૭૬ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી છે. જયારે 3૦૦ જેટલા ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જયારે ભીષણ આગને કાબુમાં લેવા માટે એનડીઆરએફની ૩૩ જવાનોની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગ્રામીણ ક્ષેત્રમાં પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન સહિતની જન સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: મંત્રી બાવળીયા
મંત્રીના હસ્તે રૂ. 565 લાખથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુવરજીભાઈ બાવળીયાના... -
ગેસની કટોકટી વચ્ચે સરકારનું અલ્ટીમેટમ પીએનજી કનેક્શન હોય તો ગેસ સિલિન્ડર પરત આપી દેવા આદેશ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટી દૂર કરવા... -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન : જિલ્લાની તમામ સરકારી કચેરીઓ પાસે કર્મચારીઓની સંખ્યાની વિગત મંગાવાઈ
વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી : રાજકોટ સહિત રાજ્યભરના કલેક્ટરો, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચૂંટણી...
