નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના ત્રીજા દોષી અક્ષય ઠાકુરની દયા અરજી પણ નકારી દીધી છે. આ પહેલા મુકેશ કુમાર સિંહ અને વિનય શર્માની દયા અરજી પણ નકારી દીધી હતી. હવે એકમાત્ર દોષી પવન ગુપ્તાની પાસે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ બાકી છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ બુધવારે મોડી સાંજે જાણકારી આપી કે રાષ્ટ્રપતિએ નિર્ભયા કેસના ત્રીજા આરોપી અક્ષય ઠાકુરની ક્ષમા આપતી અરજીને નકારી દીધી છએ. થોડા દિવસ પહેલા જ તેણે રાષ્ટ્રપતિને ફાંસીથી બચાવવા માટે અરજી કરી હતી. એક અધિકારીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિએ દયા અરજી નકારી દીધી છે.’
