અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારનાં નારોલ-પીપળજ રોડ ઉપરની ચિરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની ફેક્ટરીનાં ગોડાઉનમાં શનિવારે એટલે ગઇકાલે સાંજે આસરે 5.45 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. આ આગમાં કુલ સાત કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા છે. આગને બુજાવવા માટે 16થી વધુ ફાયર ફાઇટર વાહનો સાથે 150 ફાયરમેનનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. હજારો લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ પણ આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હતી. શહેરના નારોલ પીપળજ રોડ પાસે ચીરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની કાપડ ફેકટરીનું ગોડાઉન આવેલું છે. અહીં કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો જેથી અહીં આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી.
રિલેટેડ ન્યૂઝ
-
વન્યજીવોના સંરક્ષણમાં કાનૂની ઢાલ બનેલા ડી.જી.પી. કેતનસિંહ વાળાનું સાસણ ખાતે સન્માન કરાયું
એશિયાઇ સિંહ, દીપડા અને દુર્લભ કીડીખાઉ સહિતના વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ સામે અસરકારક કાનૂની લડત બદલ રાજ્ય... -
ઉના તાલુકાના મતદારો સામે લેવાયેલા વાંધા સામે પ્રાન્ત અધિકારીને મુસ્લિમ સમાજે રજુઆત કરી
ગુજરાત રાજયમાં હાલ એસ.આઈ.આર.ની કામગીરી ચાલી રહેલ છે જે અન્વયે ઉના ગીરગઢડા તાલુકામાં પણ કામગીરી ચાલી... -
હવાઇ સેવાઓમાં વિશ્ર્વનીયતા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય
18 વર્ષ જુના હેલિકોપ્ટરમાં સતત ટેકનિકલ સમસ્યાઓને પગલે નિર્ણય ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત...
