સુરેન્દ્રનગર : રાજકોટ અમદાવાદ હાઇ વે પર ચોટીલા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આમાં એક બાળકીનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતાં. હાલ સ્થાનિક પોલીસ, આ લોકો કોણ છે તે અંગેની માહિતી એકઠી કરીને તેમના પરિવારને જાણ કરશે.
રિલેટેડ ન્યૂઝ
-
સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિતે રાજ્યમાં તા.9 થી 17 ઓગસ્ટ તિરંગા યાત્રા-તિરંગા કોન્સર્ટ
ગુજરાતમાં ગાજશે હર ઘર તિરંગાનો નાદ ગામડાથી માંડીને મોટા શહેરો તિરંગાના રંગે રંગાશે સ્વાતંત્ર્ય દિન પર્વ... -
સરકારી કર્મીઓ-પેન્શનરોને રાહત: મેડીકલ બિલ મંજુરીની પ્રક્રિયા સરળ બનાવાઇ
વિવિધ વહીવટી સ્તરે જ મેડીકલ બિલ મંજુર કરવાની નવી સતા અપાઇ સરકારી કર્મચારીઓ માટે મેડીકલ બિલ... -
રાજયમાં શનિ-રવિ વરસાદની આગાહી
બે સિસ્ટમ સક્રિય બની: યલો એલર્ટ જાહેર: માછીમારોને દરિયો ન ખેડવા સુચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ...
