Jai Hind

રેસકોર્સમાં આજથી બાબા બાગેશ્ર્વરની સનાતન સેતુ હનુમાનકથાનો થશે પ્રારંભ

રાજકોટમાં આગામી તા.5- 6-7 જૂન ને શુક્રવાર ; શનિવાર અને રવિવાર ત્રિદિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. બીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર લાગશે. તારીખ 5-6-2026 શુક્રવાર ના રોજ ભવ્ય પ્રારંભ થશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ના વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો- અગ્રણીઓ આ કથાના માધ્યમથી હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે અપીલ કરતા જણાવે છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્ર્વરધામ સરકારના દર્શન- સત્સંગ કથા અને દિવ્ય દરબાર નો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાવા આહવાન કર્યું છે. સુસ્વાગતમ :- રાજકોટના મહેમાન..હિંદુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્ર્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે. તેમનું પૂરું નામ પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી જેમનું લોકપ્રિય નામ બાબા બાગેશ્ર્વર, પીઠાધીશ્ર્વર, બાગેશ્ર્વરધામ સરકાર, મુખ્ય ધામ છતરપુર, મધ્ય પ્રદેશ (એમ.પી.) જેઓનું મુખ્ય કાર્ય અને લક્ષ્ય દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવવો. લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ અને સમાજમાં સકારાત્મક મૂલ્યોનું સિંચન કરવું. રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે દેશ-વિદેશમાં ભ્રમણ કરતા રહી સનાતનનો ધ્વજ ફરકાવી રહયા છે. તેઓ કથાની સાથે ’દિવ્ય દરબાર’ ના આયોજન માટે પણ જાણીતા છે. તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહયા છે. પાર્કિંગ માટે ભક્તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્કુલ,અને રિલાયન્સ ગ્રાઉન્ડ નું આયોજન કરવામાં આવેલ છે.આ કથાના આયોજન માટે ખર્ચ માટે સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં. આ કથાનો સંપૂર્ણ ખર્ચ યજમાન દ્વારા અનુદાન કરવામાં આવેલ છે. તેમજ બાગેશ્ર્વર ધામ ના બેંક ખાતામાં આપી શકાય છે.બાગેશ્ર્વર ધામ આજે માત્ર એક આધ્યાત્મિક આસ્થા કેન્દ્ર જ નહીં પરંતુ માનવ સેવા, ગૌસેવા, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનું પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્ર્વર ધામ સ્વયંભૂ હનુમાનજીના ભક્ત માટે વિશ્ર્વભરમાં જાણીતી પવિત્ર ભૂમિ છે. બાગેશ્ર્વર ધામ દ્વારા ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂૂપ બની રહી છે. આધ્યાત્મિકતા સાથે માનવ સેવા, ગૌસેવા અને સંસ્કૃતિ જતનના આ મહાયજ્ઞને દેશવિદે શમાંથી વિશાળ સમર્થન મળી રહ્યું છે. ઉપરોક્ત સેવા ધર્મમાં જે કોઈ ધર્મ પ્રેમીઓને અનુદાન આપવું હોય તેઓએ કથા સ્થળે રેસકોર્સ મેદાન ખાતે તેઓના 4 કાઉન્ટર ખોલવામાં આવેલ છે, ત્યાં અનુદાન જમા કરાવી શકાશે અને પાકી પહોંચ મેળવી લેવાની રહેશે. આવા પવિત્ર સંકલ્પ સાથે સનાતનીઓને જગાડવાની જેમણે અલખ જગાવેલી છે. તેવા પ્રખર સનાતની વક્તા, વિશ્ર્વનું ગૌરવ, બાગેશ્ર્વરધામ સરકારની ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીની સનાતન સેતુ હનુમત કથામાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવુ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.