Jai Hind

કોઈનસ્વિચે તેની રિજનલ સ્ટ્રેટેજીનું વિસ્તારણ કર્યું, ગુજરાતમાં અભિનેતા મલ્હાર ઠાકર સાથે ભાગીદારી કરી

નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી: નવી પેઢીની નવી રીત

ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ કોઈનસ્વિચે આજે પ્રખ્યાત ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર સાથે ભાગીદારીની જાહેરાત કરી. મલ્હાર ઠાકર ગુજરાત માર્કેટ0 માટે બ્રાન્ડનો નવો ચહેરો હશે.
આ પગલું મુખ્ય રાજ્ય બજારોમાં તેની હાજરીને વિસ્તૃત કરવાની કંપનીની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે. આ સહયોગ રાજ્યભરમાં પહેલીવખત રોકાણ કરનારા અને અનુભવી ક્રિપ્ટો રોકાણકારો બંનેને સશક્ત બનાવવા માટે કોઈનસ્વિચની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગુજરાતની ઉદ્યોગસાહસિકતા અને નાણાંકીય સમજદારી માટે લાંબા સમયથી ચાલતી આવતી પ્રતિષ્ઠાને આગળ ધપાવતા રાજ્યના સૌથી પ્રભાવશાળી સાંસ્કૃતિક અવાજોમાંથી એક મલ્હાર સાથેનું આ જોડાણ મોર્ડન ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટસને વધુ સુલભ, વિશ્વસનીય અને સાંસ્કૃતિક રીતે સુસંગત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રદેશના યુવાનો અને પરિવારો સાથે તેમનું મજબૂત જોડાણ, ક્રિપ્ટો રોકાણને બધા માટે સુલભ બનાવવાના કોઈનસ્વિચના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.