Jai Hind

આઈએએસ (IAS) શાલિની અગ્રવાલનું નવીનતમ પુસ્તક શહેરી ટકાઉ વિકાસ અને ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે વિશ્ર્વસનીય નાણાકીય ઉકેલોની વધતી જતી જરૂરિયાત પર પ્રકાશ પાડે છે

આઈએએસ શાલિની અગ્રવાલે તાજેતરમાં આવતીકાલના શહેરોનું ઘડતર: આબોહવા જોખમોથી ગ્રીન તકો તરફ શીર્ષકનું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જ્યાં તેમણે ઊર્જા સંક્રમણ અને ટકાઉ શહેરી વિકાસને મજબૂત કરવા માટે મૂડી બજારમાં જરૂરી વિવિધ પરિવર્તનો વિશે વાત કરી છે.
આ પુસ્તક લોન્ચ કરવાના પ્રસંગે એનએસઈ (ગજઊ) ના એમડી અને સીઈઓ શ્રી આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, અમે આઈએએસ (ઈંઅજ) શાલિની અગ્રવાલ દ્વારા લિખિત આવતીકાલના શહેરોનું ઘડતર: આબોહવા જોખમોથી ગ્રીન તકો તરફ પુસ્તક પાછળ કરવામાં આવેલા સર્જનાત્મક પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આ પુસ્તક ટકાઉ શહેરી વિકાસ અને ઊર્જા સંક્રમણને ટેકો આપવા માટે વિશ્વસનીય નાણાકીય માર્ગોની વધતી જતી જરૂરિયાત પર યોગ્ય રીતે પ્રકાશ પાડે છે.
મૂડી બજારો પહેલેથી જ ઈએસજી (ઊજૠ – પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ) બોન્ડ્સ જેવા બજાર-આધારિત સાધનો દ્વારા આ પરિવર્તનને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં મ્યુનિસિપલ બોન્ડ્સ, ગ્રીન બોન્ડ્સ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રોજેક્ટ્સનું ધિરાણ સામેલ છે.