Jai Hind

RBI એ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો

રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો નિર્ણય

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ Neutral રાખવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો

ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (સ્ઁઝ્ર)એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ દ્ગીેંટ્ઠિઙ્મ રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારી હોમ લોન અથવા કાર લોન ઈસ્ૈં યથાવત રહેશે, ન તો વધશે કે ન તો ઘટશે.પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દૃેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદૃીના ભાવમાં પણ તેજી દૃેખાઈ રહી છે. આ દૃરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ વેઇટ ઍન્ડ વોચ(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના ઈસ્ૈં હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દૃરો સ્થિર રહેશે.
રિઝર્વ બૅંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને ૫.૨૫ ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઊભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદૃરમાં ઘટાડો કરવાને બદૃલે આર્થિક સ્થિરતા અને વિકાસ દૃર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બૅંકો લોન પરના વ્યાજદૃર નક્કી કરે છે.
ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્ઁઝ્ર બેઠકના પરિણામો જાહેર કરતી વખતે વધુમાં જણાવ્યું હતું કે સમિતિએ ન્યૂટ્રલ વલણ જાળવી રાખ્યું છે. રેપો રેટ યથાવત રહૃાો છે, જેમાં જીડ્ઢહ્લ ૫% અને સ્જીહ્લ ૫.૫૦% છે. વધુમાં નાણાકીય વર્ષ ૨૭ માટે વાસ્તવિક ય્ડ્ઢઁ વૃદ્ધિ ૬.૯% રહેવાનો અંદૃાજ છે. ઇમ્ૈં એ ફેબ્રુઆરી ૨૦૨૫થી દૃરોમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.