યાત્રાધામ દ્વારકામાં મંગળવારે ભક્તિ અને આસ્થાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું હતું, અભિનેત્રી અનન્યા પંડ્યાએ પોતાના પરિવાર સાથે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચી કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં પ્રવેશતા જ તેમણે પરંપરાગત રીતરિવાજ મુજબ ભગવાનને શીશ નમાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. દ્વારકાધીશના દર્શન બાદ પાંડે પરિવારે દ્વારકા નજીક આવેલ પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે જઈ ભગવાન શિવના દર્શન કર્યા અને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો.