ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક ગીર ગુંજન શાળાના દરવાજા પાસે ગીર કેસરી એ ગત રાત્રિના મારણ કરી આ શાળા પાસે આંટાફેરા કરી નિરાંતે મીજબાની માણતા રસ્તા પરથી પસાર થતા લોકોને સિંહ દર્શનનો લાભ પણ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર જંગલથી તદ્દન નજીક હોવાથી સિંહ માનવ દર્શન કરવા પહોંચી જાય છે.. (તસવીર:- ફારૂક કાઝી-ઉના)