ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળતાં અને સૌરાષ્ટ્ર યુનિ ના એ વખતના સેનેટ સભ્ય એવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ની મુલાકાત કરી શાલ, પુષ્પગુચ્છ અને ગિરની ઓળખ સિંહની છબી મોમેન્ટો સ્વરૂપે આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે હોટેલ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ જીવાણી, હમીરભાઈ બારડ, બળવંતભાઈ ધામી, રામકુબાપુ, રામભાઈ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો (ડો) જીવાભાઈ વાળા ઉપસ્થિત રહી સાસણ ગિરમા પધારતા દેશ વિદેશના પ્રવાસીની સુવિધામાં હજુ કેવી રીતે વધારો થાય અને સાથે લોકોને નેચર , પ્રકૃતિ, પર્યાવરણનું કેમ જતન થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. આ અંગે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાથે મળીને ખુબ સારૂ કામ કરવાની અને આપણા ગીરની ઓળખ હજુ વૈશ્વિક લેવલે જાય અને લાખો લોકો ગિરમા પધારે તે માટે કામ કરી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત -2047 ના સપનાને સાકાર કરવા કઠિન પરિશ્રમ કરીશું તેવી લાગણી વ્યક્ત કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
સ્વામીના ગઢડાના ટાટમ સ્થિત શ્રી જય સ્વામિનારાયણ ઘીયા ગુરુકુળ સ્કૂલના
આચાર્ય રાજ્યના શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત રાજ્યના ખાનગી શૈક્ષણિક ક્ષેત્રમાં સેવા આપતા અઢાર હજાર કરતા વધારે... -
ગીર-સોમનાથ જિલ્લામાં માછીમારોની વસ્તી ગણતરીમાં કેન્દ્રની ટીમ કામગીરીમાં જોડાશે
સાગરખેડૂના ગામો, માછીમારી બંદર, લેન્ડિંગ સેન્ટર મૂલ્યાંકન અને સુવિધાઓ ડિજિટલ પ્લેટ ફોર્મ પર અપલોડ કરાશે કેન્દ્ર... -
જાફરાબાદના ખારવા સમાજનું ગૌરવ લેખક વિષ્ણુ ભાલિયાને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ એનાયત
2 ડિસેમ્બર 2025 ના રોજ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ...
