મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના રૂ. ૭૦૦ થી વધુ કરોડના ૨૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદૃાર હાથે જોઈએ તેટલા નાણા આપશે. આ માટે જિલ્લાની વિકાસ કામોનું સુવ્યવસ્થિત આયોજન સાથે ગુણવત્તાયુક્ત કામ થાય તેની તકેદૃારી લઈ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિશ્રીઓએ ટીમ બનીને સુવ્યવસ્થિત વિકાસના કામોનું આયોજન કર્યું છે, તેના પરિણામે જ એક સાથે આટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહૃાું છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આયોજનબદ્ધ વિકાસ કાર્યો થાય તે જરૂરી છે, સાથે જ શહેરોમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેટલી જ ગ્રામ્ય વિસ્તારમાં આપવા માટે ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના દ્રષ્ટિવંત નેતૃત્વથી સમગ્ર દૃેશમાં ગુજરાત રાજ્ય નાણાકીય વ્યવસ્થાપનમાં ટોચના સ્થાને છે, પરિણામે આજે ગુજરાતમાં નાણાંના અભાવે વિકાસનું કોઈપણ કાર્ય અટકતું નથી.