રાજ્યસભાની દ્રિ-વાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર રાજુભાઈ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશભાઈ રાઠવા અને જીતેન્દ્રભાઈ કંણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.