ગુજરાતની ધરતીના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે અવિરત 12 વર્ષના યશસ્વી કાર્યકાળ સાથે ભારતના સૌથી વધુ સમય સુધી સેવારત રહેનાર વડાપ્રધાન બન્યા છે ત્યારે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિર, અડાલજ ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી આરતીમાં સહભાગી થઈને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી હતી તેમજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે મંગલકામના કરી હતી.