ઉપલેટા પાસે આવેલા પ્રાસલા ખાતેના વૈદીક મિશન ટ્રસ્ટ ખાતે યોજાયેલ રાષ્ટ્ર કથા શીબીરમાં હાજરી આપી પરત ફરતા ભારત સરકારના રાજય કક્ષાના કાયદો અને ન્યાય (સ્વતંત્ર પ્રભાર) અને પાર્લામેન્ટ્રી અફેર્સનાં મંત્રી અર્જુનરામ મેઘવાલજી આજ તા.1/1/ર6ના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે આવતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી . તેમજ તેઓએ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળવા અંગે રજુઆત કરી હતી.