Jai Hind

પીએમ હવે વાયબ્રન્ટ સમીટનું ઉદઘાટન 1ર.30 વાગ્યે કરશે અગાઉ વડાપ્રધાન 3.30 વાગ્યે આવનાર હતા

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ખાતે આગામી તા.11 જાન્યુ.થી બે દિવસ યોજાનાર રીજીયોનલ વાઈબ્રન્ટ સમીટ 2026ની તૈયારીઓને હવે અંતિમ તબકકામાં પહોંચી જવા પામી છે. આ વાઈબ્રન્ટ સમીટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ સમીટનું બપોરના 3.30 વાગ્યે ઉદઘાટન કરવામાં આવનાર હતું. પરંતુ એકાએક વાઈબ્રન્ટ સમીટના ઉદઘાટનના સમયમાં ફેરફાર થવા પામેલ છે. હવે બપોરના 12.30 વાગ્યે આ વાઈબ્રન્ટ સમીટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. વાઈબ્રન્ટ સમીટની તૈયારીઓમાં કોઈ કચાશ ન રહે તે માટે માઈક્રોપ્લાનીંગ કરવામાં આવેલ છે. વાઈબ્રન્ટ સમીટના પ્રચાર-પ્રસાર માટે ટોચના ઉદ્યોગકારોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ઔદ્યોગીક વિકાસને નવી દિશા આપવા માટે વાઈબ્રન્ટ સમીટમાં રેકોર્ડબ્રેક એમઓયુ કરવામાં આવનાર છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે આ વાઈબ્રન્ટ સમીટમાં યુક્રેન, જાપાન, રીપબ્લીક ઓફ કોરિયા સહિતના દેશો પાટનગર ક્ધટ્રી તરીકે જોડાયા છે. વાઈબ્રન્ટ સમીટમાં એગ્રીવેલ્યુ, ઓઈલશીડ, નારીશક્તિ, ઉદ્યોગ સહિતના વિષયો પર ખાસ સેમીનાર આયોજીત કરવામાં આવેલ છે. આ ઉપરાંત એમએસએમઈ, કોન્કલેવ, ગીફટસીટીમાં વ્યવસાયની તકો, ટેકસટાઈલ અને જવેલરી ઉદ્યોગ પર સેમીનાર અને ચર્ચા સહિતના કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવેલ છે.