ચોટીલાની જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળાના બાલ વર્ગ થી ધોરણ 8ના બાળકોએ બેગ- લેસ ડે ના દિવસે પતંગોત્સવ યોજી સમાજની નવી રાહ ચિંધી છે. શાળાના બાળકોએ અંગદાન મહાદાન ની ઝુંબેશ સાથે પતંગ ઉપર અંગદાન મહાદાન લખી સમાજને નવી સમજ આપી હતી કે બ્રેઇન- ડેડ વ્યક્તિના બાર જેટલા અંગો જેવા કે હૃદય,ફેફસા, કિડની, લીવર, આંતરડા, જઠર, આંખ, ચામડી, યકૃત, પિતાશય જેવા અંગોથી પીડાતાં જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી એક બ્રેઇન ડેડ વ્યક્તિ બાર જેટલા વ્યક્તિને જિંદગી બચાવી શકે છે તેથી બ્રેઇન- ડેડ વ્યક્તિના કુટુંબીજનો એ સમાજમાં જે આવા અંગો વગર તડપતા હોય તેમને દાન કરી એક પુણ્યનું ભાથું બાંધી શકે છે સાથે સાથે બાલમંદિરથી ધોરણ 8 સુધીના બાળકોએ શાળાના વિશાળ મેદાનમાં અંગદાન મહાદાન લખેલી પતંગો ચગાવી અનેરો આનંદ લુંટ્યો હતો. આ અવસરે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણી તથા માતૃભાષા અભિયાનના ભાવિનભાઈ શેઠ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જે.વી. એચ દોશી શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.