રાજુલા તાલુકાના રામપરા ગામે વૃંદાવન બાગ એટલે આસ્થા નું કેન્દ્ર અહીંના મહંત તરીકે 1,008 અને સાધુ સંતો ને માર્ગદર્શન રાજેન્દ્ર બાપુ કાર્યરત છે બાપુ હર હંમેશ હિન્દુ ધર્મ માટે સેવા કાર્યમાં ગમે તે રાજ્યમાં જોવા મળે છે અને આ વિસ્તારમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા રાજેન્દ્ર બાપુ એક નિષ્ઠાવાન પ્રમાણીક હિંદુત્વવાદી. સાચા સંત. તરીકે જોવા મળે છે તાજેતરમાં ઉત્તરાખંડમાં જતા ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા રાજેન્દ્ર બાપુની સાધુ તરીકેની કામગીરી આગામી 27 માં આવતા કુંભમેળા અંગેની તડામાર તૈયારીઓ સંતો સાથે બેઠકો નિહાળી ઉતરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ રાજીપો વ્યક્ત કરી અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખાડા રાજેન્દ્ર બાપુનું લોકપ્રિય હિન્દુત્વ ધરાવતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડ દેવભૂમિ માં સન્માન કર્યું હતું આ સન્માન થતા સૌરાષ્ટ્ર દેહાળ જગ્યાઓના મહંતો તથા સૌરાષ્ટ્ર રાજેન્દ્ર બાપુ નો સેવકગણ રાજીપો વ્યક્ત કર્યો હતો આમ રાજેન્દ્ર બાપુ ત્રણ જગ્યાના એટલે કે રામપરા જયપુર. હરદ્વાર ખાતે તેમના આશ્રમમાં આવેલા ખાસ કરીને તેઓ ધર્મની રક્ષા માટે સતત વિશ્વભરના સંતો સાથે ભગીરથ સેવા કાર્ય કરી રહ્યા રાજેન્દ્ર બાપુ નું સન્માન થતા રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથાવૃંદાવન જગ્યા નો સેવક ગણ એવા પીપાવાવ જગ્યાના મહંત મહેશ બાપુ નિંગાળા જગ્યાના મંત અમરદાસ બાપુ તથા કેસરીનંદન જગ્યાના મહંત સનાતન બાપુ કાગધામના બાપ ભાઈ કાગ રાજુલા ચેમ્બર કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ તથા નાગેશ્રીના સરપંચ નરેન્દ્ર ભાઈ તથા રામપરા ના સનાભાઇ તથા સેવક શીવાભાઈ વાઘ તથા ગોલ્ડન લાલા આતા તથા કવિ હેમાળવીર શશીભાઈ રાજ્યગુરુ પત્રકાર કનુભાઈ વરુ તથા પ્રતાપભાઈ ધાખડા તથા સાવજભાઈ લાખણોત્રા વગેરે રાજીપો વ્યક્ત કર્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
વડિયામાં સુરગવાળા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્વ કેબિનેટ મંત્રી ઊંધાડે ફાઈનલ મેચનો પ્રારંભ કરાવ્યો
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેક્ધડરી સ્કૂલ... -
લીંબડીના જુના બસ સ્ટેન્ડમાં ઉતરાયણની પૂર્વ સંઘ્યાએ લીયાદના યુવાનની હત્યા
મર્ડર કરનાર છ આરોપીની અટકાયત કરી ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું જિલ્લાના લીંબડી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે... -
તાલાલાનાં આંકોલવાડી ગામની તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો
વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા ઉપયોગી માર્ગદર્શન અપાયું:2500 વિધાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો તાલાલા તાલુકાનાં...
