Jai Hind

દેવભૂમિમાં મુખ્યમંત્રીને આવકાર

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આજે દ્વારકાના હેલીપેડ ખાતે આગમન થયું હતું. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર કલેકટર રાજેશ તન્ના, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. મંદિરના પુજારી પ્રવીણભાઈએ મુખ્યમંત્રીને દ્વારકાધીશજીના ઉપવસ્ત્રથી આશીર્વાદ આપ્યા હતા.