ગાંધીનગરમાં સંસ્કૃત બોર્ડ દ્વારા સન્માન કરાયું
ખંભાળિયાના બ્રમ્હ સમાજ અગ્રણી મનિશાબહેન દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના પઠન બાદ શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોક ને વિવિધ તબક્કે લયબદ્ધતા પૂર્વક લક્ષ્ય સિદ્ધ કરી અને નિપુણતા મેળવી હતી. મનિશાબહેન જે ઉપધ્યાય દ્રારા સંસ્કૃત ને પોતાની સંસ્કૃતિ બનાવી શ્રીમદ ભાગવત ગીતા ના 700 શ્લોક ને સંસ્કૃત માં શુદ્ધ અને ઉચ્ચ તબકે ઉચ્ચારણ સાથે પરંપરાગત રીતે કંઠસ્થ કરાયા હતા.જ્યારે રાજ્ય સરકાર દ્રારા સંસ્કૃત ના વ્યાપ થી સંસ્કૃતિ ની જાળવણી હેતુ સંસ્કૃત સંવર્ધનની પંચ યોજના હેઠળ વિવિધ પ્રકારે સંસ્કૃત ભાષા દ્રારા મહારત મેળવનારા શ્રેષ્ઠીઓ ને રાજ્ય ના પાટનગર લોકભવન ગાંધીનગર ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્રારા સન્માન સમારોહ યોજી સન્માનિત કરાયા હતા.