Jai Hind

સલાયાના એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાલાબ ઈસ્માઈલ થૈયમ સામે વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન સલાયા મરીન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે પોલીસે ચાર્જશીટ ફાઇલ કરતા આ પ્રકરણમાં ટ્રાયલ એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ કેસ ચાલી ગયો હતો.આ કેસમાં આરોપીના એડવોકેટ એસ.આઈ. ઉઢેજા અને એડવોકેટ ભવ્ય આર. કોટેચા દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને રજુ કરવામાં આવતા અદાલતે આરોપી તાલાબ ઈસ્માઈલ થૈયમને આ કેસમાં નિર્દોષ ઠેરવી, છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.