Jai Hind

ગેરકાયદેેસર માછીમારી કરતા ત્રણ બોટ માલિકો સામે ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી બોટ સંચાલકો પાસે જરૂરી પરવાના- રજિસ્ટ્રેશન જરૂરી

ગીર સોમનાથ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીકો સામે જઘૠ ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેંજ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ દરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપી હતી. જેના આધારે જઘૠ અને મરીન પોલીસની ટીમે દરીયાઈ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જે અંતર્ગત આજે એસઓજી ટીમ કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરી રહેલ દરમ્યાન કદવાર-હીરાકોટ બંદર નજીક ત્રણ ફિશીંગ બોટો ગેરકાયદેસર રીતે દરીયો ખેડતી હોવાનું સામે આવ્યુ હતુ. આ તપાસમાં પોલીસને જાણવા મળેલ કે શકરપીરની મહેરબાની, અલી મદદ અને યા અલી બરકત નામની બોટો લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર ચલાવવામાં આવી રહી હતી. ઉપરાંત, ઓનલાઇન એન્ટ્રી તથા જરૂરી ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતી હતી. આ ખુલાસાના આધારે ત્રણેય બોટના માલીકો અસલમ જુમાભાઈ મોવાણા (ઉ.વ. 27), દિલસાદ અયુબભાઈ પટેલીયા (ઉ.વ. 26) અને ફીરોજ જાફરભાઈ મોવાણા (ઉ.વ. 40)(બધા રહે. કદવાર-હીરાકોટ બંદર) સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા-2020ના નિયમો મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન એસઓજીના પીઆઈ ડી.એમ. કાગડા, પીએસઆઈ આર.એચ. સુવાના નેતૃત્વમાં હાથ ધરાયું હતુ.