Jai Hind

અકસ્માતમાં ગુજરનારના વારસદારોને રૂ.94,00,000નો દાવો કોર્ટે મંજૂર કયો

જીરા ગામના ગુજરનાર ભાર્ગવભાઈ વાવડીયાના વારસોનો વ્યાજ સાથે રૂ. 94,00,000/- નો કલેઈમ સાવરકુંડલાના એડવોકેટ એમ.એમ. બાવનકાએ મંજૂર કરાવ્યો હતો.ગત તા…06/05/2024 ના રોજ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ગુજરનાર ભાર્ગવભાઈ વાવડીયાનું ભોરીંગડા ગામ પાસે એક બોલેરો ચાલક જેના રજી.નં. જી.જે.35 ટી. 0747 સાથે અકસ્માત થયેલ. જેની ફરીયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતની વિવિધ કલમથી ગુનો દાખલ થયેલ.જે અંગે સાવરકુંડલાના એડવોકેટ એમ.એમ. બાવનકાએ ગુજરનારના વારસદારો તથા માતા પિતા માટે સાવરકુંડલા મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ કોર્ટમાં એમ.વી.એકટની કલમ 166 મુજબ વળતર મેળવવા માટે કલેઇમ દાખલ કરેલ જે કલેઈમ ચાલી જતા ગુજરનાર ભાર્ગવભાઈ ઈન્કમટેકસ ભરતા હોય જેની રજુઆત થી તેમજ જુદાજુદા કોર્ટના ચુકાદાઓ રજુ રાખી અસરકારક દલીલો રજુ કરેલ.તા. 21/04/2026 ના રોજ સાવરકુંડલા મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલના જજ સચિન એસ. શેઠી એ ગુજરનારના વારસદારો તરફે ચુકાદો આપેલ અને વારસદારોને કલેઈમ ની રકમ રૂા. 80,15,000/- + 9% ના વ્યાજ સાથેની રકમ ચુકવવાનો હુકમ કરેલ જે રકમ વ્યાજ સાથે અંદાજીત રૂા. 94,00,000/- અંકે રૂપિયા ચોરાણું લાખ જેવી થાય છે.