ભાવનગરના બોર તળાવમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

ભાવનગર,તા.31
ભાવનગરના બોર તળાવમાં ઝંપલાવી બિમારીથી કંટાળી ગયેલા યુવાને આપઘાત વહોરી લીધો હતો.
બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં ચિત્રા વિસ્તારમાં ફિલ્ટર પાસે રહેતા કિશોરભાઇ મીઠાભાઇ સોટા ઉ.26 નામનાં યુવાને શહેરનાં બોરતળાવમાં ઝંપલાવી આત્મહત્યા વહોરી લીધી હતી. ફાયર બિગ્રેડના સ્ટાફે પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. મૃતક યુવાને બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનુ ડી. ડીવીઝન પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
ઇલે.શોક લાગતા મોત
ભાવનગર જીલ્લાનાં ઘોઘા તાલુકાનાં વાળુકડ ગામે રહેતા ગોવિંદભાઇ કેશવભાઇ મારૂ ઉ.વ.62 તેની વાડીએ સવારે પાણી છોડવા માટે મોટર ચાલુ કરવા જતાં અચાનક તેમને શોક લાગતા ગંભીર હાલતે ભાવનગરની હોસ્પીટલે ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

રિલેટેડ ન્યૂઝ