રાજકોટમાં 7 સ્થળે થશે ગણેશ વિસર્જન: પોલીસ કમિશ્નરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

19 થી 29 દરમ્યાન ઉજવાતા મહોત્સવમાં નિયમોનું પાલન સાથે સરઘસ સમયે બીભસ્ત કે લાગણી દુભાઈ તેવા ગીત-સંગીત ઉપર પ્રતિબંધ

રાજકોટ શહેરભરમાં ગણપતિ મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગણપતિ વિસર્જન માટે 7 સ્થળો નક્કી કરી આ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ મહોત્સવ અને સરઘસ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય કરવા સહિતના મુદ્દે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામામાં જણાવાયું છે કે તા.19થી 29 દરમિયાન ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે શહેરમાં અલગ-અલગ સાત સ્થળો નકકી કરાયા છે. જાહેરનામા મુજબ વિસર્જન માટે જે સ્થળો નક્કિ કરાયા છે તેમાં આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1, ખાણ નં.2, આજી ડેમ ઓવરફલો ચેક ડેમ, પાળગામ જવરાપીરની દરગાહ પાસે, ન્યારા પાટીયા પાસે ન્યારા રોડ, વાગુદડના પાટીયા પછી પૂલ નીચે અને આજી ડેમ પાસે રવિવારી બજારના ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. જયારે તા.19 થી 29 દરમિયાન સક્ષમ સત્તાધીકારીની મંજુરી વગર ગણેશ વિસર્જનના સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકયો છે. આ ઉપરાંત નકિક કરાયેલી વિસર્જન માટેની જગ્યા સિવાય અન્ય સ્થળે મૂર્તિવિસર્જન કરવા ઉપર, વિસર્જન યાત્રા સમયે રાહદારીઓ ઉપર અને વાહનોમાં જતા લોકો ઉપર રંગો કે પાઉડર સહિતની વસ્તુ ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. ધ્વની પ્રદૂષણના જાહેરનામામાં દર્શાવ્યા મુજબ ગણેશ સ્થાપના અને વિસર્જન દરમિયાન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે. વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળોએ મંડપો એક દિવસ કરતા વધુ રાખવાની મનાઈ કરાઈ છે. મહોત્સવ દરમિયાન કે વિસર્જન સમયે બિભત્સ ગીતો કે લાગણી દુભાય તેવા ગીત કે સંગીત કે ભાષણો, સૂત્રોચ્ચાર ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમજ સામાન્ય ટ્રાફિકને અડચણ ક2વા, ધાર્મિક લાગણી દુભાય તેવા ડેકોરેશન ઉપ2 વિસર્જન બાદ પાણીમાંથી મૂર્તિઓને પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા ઉ52 મનાઈ કરાઈ છે.
આ ઉપરાંત મૂર્તિ વિસર્જનવાળા સ્થળોએ સિન્થેટીક લાઈનર (પાથરવાનું કપડુ) ગોઠવવાનું રહેશે. તેમજ વિસર્જન સ્થળ રાખવામાં આવેલ સિન્થેટીક લાઈનરને વિસર્જન બાદ 48 કલાક પહેલા વિસર્જીત મૂર્તિ સાથે બહાર કાઢી લેવાનું રહેશે. તેમજ વિસર્જન સ્થળે લાઈમ (ફટકડી) નાખી ચોખ્ખાઈ જળવાઈ રહે તે અંગે કાર્યવાહી કરવાની રહેશે. તો મૂર્તિ સુશોભિત કરી હોય, હાર, ફૂલ અને વસ્ત્રો તેમજ અન્ય વસ્તુઓ કાઢી મૂર્તિનું વિસર્જન કરી શકાશે. તેમ જાહેરનામામાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ