રાજકોટના બાલાજી મંદિરે શનિવારે સુંદરકાંડના પાઠ

લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (ભૂપેન્દ્ર રોડ) એક ભક્તિસભર ’સુંદરકાંડ પાઠ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામ ી તારીખ 8-8- 2026, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે બાલાજી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે આ વિશેષ સુંદરકાંડ પાઠ યોજાશે. આ પાઠ શૃંખલાનો 9735મો પાઠ છે. આ પાવન અવસરે વક્તા તરીકે અમદાવાદથી ગુરુ અશ્ર્વીનકુમાર પાઠક ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની સુમધુર વાણીમાં ભક્તોને સુંદરકાંડના પાઠનું રસપાન કરાવશે. આ સમગ્ર ભક્તિમય કાર્યક્રમ બાલાજી હનુમાનજી મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત સ્વામી રાધારમણદાસજી સ્વામીના રૂૂડા આશીર્વાદ અને નિમંત્રણ હેઠળ યોજાઈ રહ્યો છે. શહેરના તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને સમયસર પધારીને આ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરવા તથા બાલાજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવવા મંદિર પ્રશાસન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ