ઉનાના નવી વાજડી ડારના પાણીના વિતરણથી ગામ લોકો બન્યા બીમાર

પેટમાં દુ:ખાવો,વાળ ખરવા, ખંજવીળની ફુરિયાદો : ડારનું પાણી બંધ કરી બે દડમાં નર્મદાના પાણી વિતરણની વ્યવસ્થા કરાશે : સરપંચ

ઉના તા. 17
ઊના થી માત્ર 10 કીમી તાલુકાના નવી વાજડી ગામની અંદાજીત વસ્તી 1200ની આસપાસ હોય અને હાલ આ ગામમાં છેલ્લા 20 દિવસ થી એક વર્ષ પહેલા બનાવેલ ડારનું પાણી ગ્રામ પંચાયત દ્રારા વિતરણ કરતા ગ્રામજનો બીમાર પડી રહ્યા છે.
આ ડારના પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પેટનો દુ:ખાવો વાર ખરવા તેમજ ખંજવાળ આવવી જેવી સમસ્યાથી પીડાઇ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોને નર્મદાનું પાણી વિતરણ થતુ હતું અને છેલ્લા 20 દિવસથી નર્મદાના પાણીની લાઇનમાં ક્યાંક ભંગાણ થયુ હોવાથી આ પાણી મળતુ નથી તેથી નાછુટકે ગ્રામ પંચાયત દ્રારા ગામમાં એક વર્ષ પહેલા 300 ફુટ ઉંડા એક બોર બનાવેલ અને આ બોર માંથી આખા ગામમાં પાણીનું વિતરણ કરવામાં આવતા અને લોકો આ પાણીના વપરાશથી બિમાર પડી રહ્યા હોય અને હોસ્પીટલના બિછાને સારવાર લઇ રહ્યા છે. તેમ છતા પણ તંત્રના પેટનું પાણી પણ હલતુ ન હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ગ્રામજનો માંથી માંગણી ઉઠવા પામેલ છેકે તાત્કાલીક આ ડારના પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવે અને લોકોને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવે જ્યારે આ ડારના પાણીનો વપરાશથી લોકો બિમાર પડી રહ્યા હોવાથી ગ્રામજનો પીવાનું પાણી નજીક ગામથી ભરવા જવા મજબુર બન્યા છે.
આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અજીતભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે નર્મદાનું પાણી હાલ લાઇનમાં ક્ષતી હોવાથી વિતરણ થતુ નથી. પરંતુ આ ડારના પાણીથી લોકો બિમાર પડી રહ્યાં છે. તે વાતની જાણ મને હતી નહી પરંતુ બે ત્રણ દિવસમાં નર્મદાના પાણીની વિતરણ વ્યવસ્થા થઇ જશે. અને હાલ જે ડાર માંથી પાણી વિતરણ થઇ રહ્યુ છે. તેનું સેમ્પલીંગ કરાવી આપીશું તેમ છતાં પણ બાજુમાં જુની વાજડી થી નવી વાજડી સુધીની પાઇપ લાઇન જે હાલ ક્ષતિ ગ્રસ્ત છે તેનું રીપેરીંગ કામ કરાવી આપીશુ કે જેથી લોકોને પાણી મળી રહે
ગામના વયોવૃધ્ધ વશરામભાઇ એ જણાવેલ હતુ કે હાલ ડારના પાણી પીવાથી પેટનો દુખાવો થાય છે. અને શરીરમાં ખંજવાળ આવે છે. ગામના અગ્રણી રણછોડભાભઇ હડીયાએ જણાવેલ હતુ કે આ ડારનું પાણી મોરૂ અને ખારૂ છે આ પાણીના વપરાશથી ઘરમાં દવાખાનું ઘર કરી ગયુ. આ ડારનું પાણી એટલુ ખરાબ છેકે વાળ ખરી રહ્યા હોવાનું દીપાલીબેન જણાવેલ હતું..

રિલેટેડ ન્યૂઝ