સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની કચેરીમાં જ આગ લાગવાની ઘટના બની છે સુરેન્દ્રનગર હેન્ડલુમ પાસે આવેલી પીજીવીસીએલ કચેરી ની અંદરના ભાગે જ આગ લાગવાની ઘટના બની છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલ કચેરી ની અંદર જ આગ લાગવાના કારણે નાશ ભાગ મચી ગઈ હતી જોકે હાજર કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ આગ વિકરાળ હોવાના કારણે અંદર પડેલા કોપરના અને તાંબા અને એલ્યુમિનિયમના વાયરો બળી અને ખાખ બની ગયા હતા અને અન્ય ભંગારને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને આગ બુજવવામાં આવ્યા બાદ કેટલું નુકસાન થયું છે તે અંગેની તાકીદ શરૂ કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ચોટીલા પાસે પગપાળા વિહાર કરતા જૈન સાધુ ઓમકાર શેખરવિજયજીને વાહને ઠોકરે લેતા કાળધર્મ પામ્યા
અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર : ચોટીલામાં પાલખી યાત્રા નિકળી : ગામ લોકોએ શોકમાં બંધ પાળ્યો... -
ચોટીલા – આણંદપુર રોડ ઉપર ભયજનક ખાડાઓ, પ્રાંત અધિકારી અને ધારાસભ્ય દ્વારા સ્થળ નિરીક્ષણ
હાઇવેના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા કડક સૂચના ચોટીલા-જસદણ જતા આણંદપુર નેશનલ હાઇવે પર મસ મોટા ખાડાઓ... -
વઢવાણમાં સગાપુત્રની હત્યા કરનાર માતા અને સાવકા પિતાને આજીવન કેદ
રૂા. 20 હજારનો દંડ પણ ફટકાર્યો : દિકરાના મોત અંગે પિતાએ પોલીસને જાણ કરી હતી રાજકોટમાં...
