મંદિૃરો પરના હુમલા અસ્વીકાર્ય: સીડનીમાં મોદૃીની સ્પષ્ટ વાત

સિડની: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીજ સાથેની શિખર મંત્રણામાં બન્ને દેશો વચ્ચે બિનપરંપરાગત ઉર્જા, વ્યાપાર તથા સંરક્ષણ ક્ષેત્રે બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ દોહરાવતા જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો હવે ટી20માં પ્રવેશી ગયા છે અને મોદીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે બન્ને દેશોના આ ગાઢ બનતા જતા સંબંધોમાં કોઈ તત્વ કે સંગઠન તમો વિચારો કે તેમના કૃત્યથી વિધ્ન સર્જવા કોશીશ કરશે તો તે સ્વીકાર્ય રહેશે નહી. આજે ભારત આવવા રવાના થતા પુર્વે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ હાલમાંજ ઓસી.માં ભારતીય મંદિરો તથા ધર્મસ્થાનો પર વધેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. મંદિરો પરના હુમલા સ્વીકાર્ય નથી અને ઓસી વડાપ્રધાને મને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. શ્રી મોદીએ હાલમાંજ ઓસીમાં સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર અને શિવમંદિર પર ખાલીસ્તાની તત્વો દ્વારા હુમલા તથા તોડફોડ અને મંદિરોની દિવાલો પર ધર્મવિરોધી સૂત્રો લખવા વિ. થઈ રહેલી પ્રવૃતિનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે મે અલ્બનીઝ સાથે આ મુદે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી અને તેઓએ પણ તેમાં આકરા પગલાની ખાતરી આપી હતી તથા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પણ આ પ્રકારના હુમલાને સ્વીકારી શકે નહી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

રિલેટેડ ન્યૂઝ