રુચિરા કંબોજે ઇન્ટર ગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મકાર્યક્રમમાં ભાગ લીધો
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃમાં જી૪ દૃેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ’ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં રુચિરા કંબોજે જી૪ દૃેશો બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સુરક્ષા પરિષદૃના સભ્યોની સંખ્યા વર્તમાન ૧૫થી વધારીને ૨૫-૨૬ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત છ કાયમી સભ્યો અને ચાર-પાંચ હંગામી સભ્યોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. સાથે ભારતે ’છ નવા સ્થાયી સભ્યોમાંથી બે આફ્રિકન રાજ્યો અને એશિયા પેસિફિકના દૃેશો દ્વારા, એક લેટિન અમેરિકન દૃેશો અને કેરેબિયન દૃેશો દ્વારા અને એક પશ્ર્ચિમ યુરોપિયન દૃેશો અને અન્ય દૃેશો દ્વારા પ્રસ્તાવિત થવા જોઈએ’ તેવું કહૃાું છે.
આ સિવાય રુચિરા કંબોજે એમ પણ કહૃાું છે કે સુરક્ષા પરિષદૃની વર્તમાન વ્યવસ્થામાં કાયમી અને અસ્થાયી એમ બંને વર્ગોમાં પ્રતિનિધિત્વનો અભાવ છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ એટલું અસરકારક નથી અને વૈશ્ર્વિક સ્થિરતા અને શાંતિ માટે આમાં તાત્કાલિક સુધારાની જરૂર છે.
કંબોજે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિનિધિત્વના અભાવને અવગણીને કોઈ સુધારો શક્ય નથી અને ખાસ કરીને સ્થાયી કેટેગરીમાં ભારે અસંતુલન છે અને તેના કારણે સુરક્ષા પરિષદૃ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. નોંધનીય છે કે ભારત દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં વીટો અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્થાયી સભ્યો પાસે પણ વર્તમાન સભ્યોની જેમ જ જવાબદૃારીઓ અને અધિકારો હશે, પરંતુ તેઓ કોઈપણ મુદ્દા પર સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદૃ જ વીટોનો નિર્ણય લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃમાં હાલમાં માત્ર પાંચ દૃેશો પાસે જ વિટો પાવર છે જેમાં ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. અન્ય બે સભ્યો હંગામી હોય છે, જે બે વર્ષ માટે ચૂંટાયેલા હોય છે અને તેમની પાસે વીટો પાવર ન હોય. જો કે સુરક્ષા પરિષદૃમાં ભારતના સમાવેશને ફ્રાન્સ અને અમેરિકાએ સમર્થન આપ્યું છે.