Jai Hind

કુવૈતના પાવર સ્ટેશન પર ઈરાનનો હુમલો:૧ ભારતીયનુ મોત નિપજ્યુ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગમાં હવે પાડોશી દૃેશોને પણ ઝપેટમાં લીધા છે. ઈરાન દ્વારા કુવૈતના પાવર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનમાંમાં એક ભારતીય કામદૃારનું મોત નીપજ્યું હોવાનું કુવૈતના વીજ મંત્રાલયે પુષ્ટિ કરી હતી. હુમલામાં પાવર સ્ટેશનની ઈમારતને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના ઉત્તરી પ્રાંતમાં આવેલી તબરીઝ પેટ્રોકેમિકલની ફેસિલિટી પર પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો, જોકે સદૃનસીબે ત્યાંથી કોઈ જોખમી પદૃાર્થો લીક થયા નથી.લેબનોનમાં તૈનાત યુનાઈટેડ નેશન્સ ફોર્સે રવિવારે મોડી રાત્રે તેમના એક શાંતિ રક્ષકના મોતની પૃષ્ટી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના નિવેદૃન અનુસાર, એક ગોળા તેમના કેમ્પ પર પડતા આ ઘટના બની હતી. હાલ આ હુમલો કોણે કર્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.