પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહૃાો છે. એવામાં SIRની પ્રક્રિયામાં જે મતદૃારોના નામ કપાઈ ગયા છે તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદૃેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદૃાનના માત્ર બે દિૃવસ પહેલાં પણ મતદૃારનું નામ યાદૃીમાં જોડવાનો આદૃેશ આપે, તો તે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળશે. આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે બંગાળમાં જીૈંઇમાં લાખો મતદૃારોના નામ કપાઈ ગયા છે, જે બાદૃ તે લોકોએ મતદૃાન યાદૃીમાં નામ ફરીથી જોડવા માટે ચૂંટણી પંચના ટ્રિબ્યુનલમાં અરજી છે. અરજદૃારોનું કહેવું છે કે ટ્રિબ્યુનલ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો તેઓ વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે. નોંધનીય છે કે ચૂંટણી પંચમાં આવી ૩૪ લાખ અરજીઓ પેન્ડિંગ છે, જેમના નામ મતદૃાર યાદૃીમાંથી કપાઈ ગયું છે પણ તેઓ ભારતના નાગરિક હોવાનો દૃાવો કરી રહૃાા છે.