આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતની મજબૂત વ્યૂહનીતિનો મોટો પ્રભાવ જોવા મળી રહૃાો છે, જેના કારણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો અંધભક્તિથી સાથ આપનારા તૂર્કિયેના તેવર હવે સાવ નરમ પડી ગયા છે. ભારતે ગોઠવેલી વ્યૂહનીતિમાં તૂર્કિયે એવું ઘેરાયું છે કે તે હવે ભારત સાથે સંબંધો સુધારવા માટે ઉત્સુક બન્યું છે. િંસગાપોરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટજિક સ્ટડીઝ (ૈૈંંજીજી)ના એક કાર્યક્રમમાં તૂર્કિયેના વિદૃેશ મંત્રી હકાન ફિદૃાને ભારત તરફ દૃોસ્તીનો હાથ લંબાવતા ખાસ અપીલ કરી છે કે, અમને ખોટા ન સમજો અને બંને દૃેશો વચ્ચે વેપાર અને સહયોગ વધારવા માટે અમને એક તક આપો. િંસગાપોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તૂર્કિયેના વિદૃેશ મંત્રી હકાન ફિદૃાને ભારતને વિનંતી કરી છે કે, ભારત અને તૂર્કિયે વચ્ચેના સંબંધોને પાકિસ્તાનના ચશ્માથી ન જોવા જોઈએ. પાકિસ્તાન સાથેની પોતાની દૃોસ્તીનો બચાવ કરતા તેમણે કહૃાું કે, દૃુનિયામાં માત્ર તૂર્કિયે જ નહીં, બીજા પણ ઘણા દૃેશો છે જેમના પાકિસ્તાન સાથે સારા સંબંધો છે. જે રીતે તૂર્કિયેના અમેરિકા, રશિયા કે યુરોપના દૃેશો સાથે કેટલાક મુદ્દે મતભેદૃ હોવા છતાં તેઓ સાથે મળીને આગળ વધે છે, તેમ ભારતે પણ જૂની નકારાત્મક વાતોને બાજુ પર મૂકીને સંબંધો સુધારવા માટે એક ચાન્સ આપવો જોઈએ.