નવી દિલ્હી તા. 27
લગભગ 13 લાખ જવાનોવાળી ભારતીય સેના ધીરે-ધીરે પોતાની તાકાતમાં વધારો કરી રહી છે. સેના રોકેટ્સ અને મિસાઈલ્સને લઈને હાઈ-કેલિબરવાળી ટેંક અને આર્ટિલરી શેલ્સ પણ જરુર પ્રમાણે એકઠા કરી રહી છે. આ તૈયારીઓ એટલા માટે કરવામાં આવી રહી છે કે જેથી 10 દિવસ ચાલનારા ભયાનક યુદ્ધ માટે સાધનો તૈયાર રહે. આગળ આ લક્ષ્યને 40 દિવસ સુધીનું કરાશે. જોકે, આવું આગામી સમયમાં આવનારા ખતરાને ધ્યાનમાં રાખીને 2022-23 સુધી સેનાને વધુ મજબૂત બનાવવા માટે કરાશે.
ચીન-પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહ્યો છે સ્ટોકસંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના માટે અલગ-અલગ હથિયાર 10 (ઈં) સ્તર સુધી પહોંચી જઈશું જેનો મતલબ છે કે 10 દિવસ સુધી ચાલનારા ભયાનક યુદ્ધ માટે જરુરી સ્ટોક હોવો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ખાસ કરીને પશ્ચિમી સરહદ માટે છે પણ હથિયારને રિઝર્વ પાકિસ્તાન અને ચીન બન્નેને ધ્યાનમાં રાખીને ઉભા કરવા પડશે. નોંધનીય છે કે, પહેલા જે જરુરી સામાન ઓછો પડતો હતો, તેને પૂર્ણ કરી લેવાયો છે અને લગભઘ 12,890 કરોડ રુપિયાના 24 કોન્ટ્રાક્ટ હજુ પાઈપલાઈનમાં છે. જેમાં 19 વિદેશી કંપનીઓ સાથે કરેલી સમજૂતી છે.8221;પછી વધારવામાં આવશે તાકાતઆગામી ટાર્ગેટ 40(ઈં) સ્તર હશે. જોકે, તેને લઈને ઘણો વિચાર કરવામાં આવશે. કારણ કે દરેક પ્રકારના હથિયારો મોટી સંખ્યામાં જરુરી નથી હોતા અને આટલા માટે રિઝર્વ માટે રુપિયાનો ઘણો ખર્ચ થાય છે. મંત્રાલય પણ વિચાર કરે છે કે, 2022-23 પછી 10 વર્ષ સુધી ઘરેલુ પ્રાઈવેટ સેક્ટર અને વિદેશી કંપનીઓ મળીને 8 અલગ-અલગ રીતે ટેંક, આર્ટિલરી અને ઈન્ફેન્ટ્રી હથિયાર બનાવી શકે જેની કિંમત 1700 કરોડ રુપિયા વાર્ષિક આંકવામાં આવી છે.ઉરી હુમલા પછી જાગી સરકારનોંધનીય છે કે, પાછલા ઘણાં વર્ષોથી સેનામાં ટેંકને લઈને એર ડિફેન્સ યુનિટ સુધી હથિયારની કમીને લઈને સવાલ થતા રહ્યા છે. ઘણી સંસદીય અને સીએજી રિપોર્ટ્સમાં પણ જણાવવામાં આવ્યું છે કે, 2016માં થયેલા ઉરી હુમલા પછી સરકાર એક્શન મોડમાં આવી ગઈ અને જલ, થલ અને વાયુ ત્રણે સેનાઓને નાણાકીય અધિકાર આપવામાં આવે. જ્યારે એ વાત સામે આવી કે સેના પાસે યુદ્ધ માટે પુરતા હથિયારો જ નથી, તો 10 (ઈં) સ્તર કોન્ટ્રાક્ટ્સ કરાયા.આ પછી 24,000 કરોડ રુપિયાના કોન્ટ્રેક્ટ હથિયારોથી લઈને એન્જિન સુધી લેવામાં આવ્યા. સેના માટે સ્મર્ચ રોકેટ, કોંકુર એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલ, 125 એમએમ અઙઋજઉજ અને અન્ય હથિયાર માટે કુલ 19 કોન્ટ્રેક્ટ રશિયા અને અન્ય દેશોની કંપની સાથે કરાયા.ઓર્ડિનન્સ બોર્ડને ફટકારસંરક્ષણ મંત્રાલય સરકારી ઓર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડ અંતર્ગત આવનારી 41 ફેક્ટરીઓનું સંચાલન અને ક્વોલિટી કંટ્રોલને વધારે યોગ્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. અહીં સેનાને 163માંથી 90 હથિયાર સપ્યાલ કરાય છે. આ પગલું સરકારે ત્યારે ઉઠાવ્યું જ્યારે ખરાબ મશિનરીના કારણે મોટી સંખ્યામાં દુર્ઘટનાઓ બનવા લાગી. પાછલા મહિને સીએજીએ સેનાના સ્તરની ક્વોલિટી ન આપવા અને ખરાબ સામાન સપ્લાય કરીને મિલિટરીની તત્પરતા સાથે બાંધછોડ કરવા માટે બોર્ડને ફટકાર લગાવી હતી.સેનાએ પણ એવા લોકોની જવાબદારી નક્કી કરવા માગે છે જે ક્વોલિટી ચેક કરવા માટે જવાબદાર છે, જેમના કારણે 105 એમએમ ઈન્ડિયન ફીલ્ડ ગન, 105 એમએમ લાઈટ ફીલ્ડ ગન, 130 એમએમ ખઅ1 મીડિયમ ગન, 40 એમએમ ક-70 એર ડિફેન્સ અને ટી-72, ઝ-90 અને અર્જુન મેન બેટલ ટેંક દુર્ઘટનાનો શિકાર બને છે.
