ફકત 3 ટકા લોકો પાંચ વર્ષ સુધી SIP ચાલુ રાખે છે

શું આપણે એસઆઈપી વિશે વધુ પડતાં બેદરકાર થઈ ગયા છીએ? એસઆઈપી રોકાણકારોમાં વિશ્વસનીય આદત બની ગઈ છે, પરંતુ તેમાં મર્યાદાઓ છે. આંકડા દર્શાવે છે કે વળતરની સંભાવના નોંધપાત્ર રીતે વધે છે જો તે 7થી વધુ વર્ષ સુધી ચાલે છે, પરંતુ ફક્ત 3 ટકા લોકો 5 વર્ષથી વધુ સમય સુધી તેમની એસઆઈપી ચાલું રાખી શકે. એસઆઈપીમાં વાસ્તવિક ખતરો ત્યારે આવે છે. જ્યારે બજારમા મંદી આવે છે. પછી આખો પ્લાન ખરાબ થઈ જાય છે. નિષ્ણાતો કહે છે કે એસઆઈપી સારી છે, પરંતુ કારગત નથી. વ્યૂહરચના, શિસ્ત અને એસઆઈપી સાથે, યોગ્ય સમયે લમ્પ સમ વાસ્તવિક તફાવત બનાવે છે. વીમા પ્રીમિયમ પરનો જીએસટી હટાવ્યા બાદ થોડી રકમ, પરંતુ નિયમિત રકમની બચત થઈ રહી છે, જે મોટી તકો લઈને આવી છે. પરંતુ સવાલ એ છે કે, શું તમે આ બચતને યોગ્ય દિશામાં મૂકી રહ્યાં છો? મોટાભાગનાં લોકો આ નાણાં આ રીતે જ ખર્ચ કરે છે, જ્યારે સમજદાર રોકાણકારો તેનો ઉપયોગ જીવન કવર વધારવા, આરોગ્ય વીમાને મજબૂત કરવા, સુપર ટોપ-અપ્સ ઉમેરવા અથવા એસઆઈપી દ્વારા લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે કરે છે.

રિલેટેડ ન્યૂઝ