નાણામંત્રી નિર્મલા સિતારમણે દૃેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ૭ નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોરની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ મુખ્ય મહાનગો અને આર્થિક કેન્દ્રોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક રેલ નેટવર્થને જોડવાનો છે, જેનાથી યાત્રા સમય ઘટશે અને ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન મળશે. નાણામંત્રીની જાહેરાતના પ્રમાણે, મુંબઈ-પુણેની વચ્ચે હાઈ-સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. જે બંને શહેરોની વચ્ચે રોજ અવર-જવર કરતા યાત્રીકો માટે મોટી રાહત સાબિત થશે.