લોકો ટીકા કરતા રહૃાા, ધૈર્યથી જ પરિણામ મળ્યુ:મોદૃી

અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને એનડીએ સાંસદૃોને સંબોધતા વડાપ્રધાન

બજેટની સિધ્ધિઓન્ો લઇન્ો જનતા વચ્ચે જવા એનડીએના સાંસદૃોન્ો અનુરોધ

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદૃાને લઈને સંસદૃ પરિસરમાં દ્ગડ્ઢછ સાંસદૃો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદૃીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહૃાા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે.
પીએમ મોદૃીએ દ્ગડ્ઢછ સંસદૃીય દૃળની બેઠકમાં કહૃાું કે, તમામ સાંસદૃો સદૃનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલબ્ધિઓ અંગે જનતા વચ્ચે જાઓ અને તેમને જણાવો. પીએમ મોદૃીએ કહૃાું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થતા વાતાવરણ સારુ બન્યું છે. હવે મેન્યૂફેક્ચિંરગ વધે તથા ક્વોલિટી પ્રોડક્ટ બને તેવા પ્રયાસો શરૂ કરવા જોઇએ.
બજેટની લોકજાગૃતિ: બજેટની સિદ્ધિઓ લઈને જનતા વચ્ચે જાઓ અને તેમને તેની વિગતો જણાવો. આ બજેટ આગામી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
મેન્યુફેક્ચિંરગ પર ભાર: અમેરિકી ટ્રેડ ડીલથી દૃેશમાં સારું વાતાવરણ બન્યું છે. હવે મેન્યુફેક્ચિંરગ વધારવું જોઈએ અને ક્વોલિટી પ્રોડક્ટ્સ બનાવવી જોઈએ.
કેન્દ્રીય સંસદૃીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, મોદૃીના નેતૃત્વમાં ભારતે યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દૃેશો સાથે વેપાર કરાર કર્યા છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી; વિશ્ર્વમાં ભારતનું કદૃ વધ્યું છે તેનું જ આ પરિણામ છે. માત્ર એક અઠવાડિયા પહેલા જ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા અને હવે અમેરિકા સાથે પણ કરાર થયા છે. જેમાં ટેરિફમાં ઘટાડની જાહેરાતનો પણ સમાવેશ થાય છે. જેના કારણે સાંસદૃોમાં ભારે ઉત્સાહ હતો. ટેરિફમાં ઘટાડો: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય સામાન પરના ટેરિફ દૃરને તાત્કાલિક અસરથી ૨૫% થી ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલાને પીએમ મોદૃી પ્રત્યેની મિત્રતા અને સન્માનનું પ્રતીક ગણાવ્યું છે.
રાજકીય સ્વીકૃતિ: પીએમએ ટાંક્યું કે દૃેશભરમાં ૫૦% થી વધુ નાના પક્ષો હવે દ્ગડ્ઢછ સાથે જોડાઈ રહૃાા છે, જે આપણી રાજકીય વિચારધારાની સ્વીકૃતિ દૃર્શાવે છે.
પીએમ મોદૃીએ કહૃાું કે, મેં કહૃાું હતું કે વર્લ્ડ ઓર્ડર બદૃલાઈ રહૃાો છે. કોવિડ પછી તે દૃેખાઈ રહૃાો છે અને આજે વર્લ્ડ ઓર્ડર ભારતની તરફેણમાં વળી રહૃાો છે. પીએમએ કેરળના રાજ્યસભા સાંસદૃ સદૃાનંદૃ માસ્ટરનો ઉલ્લેખ કર્યો કે, આ એક કાર્યકર્તાનું બલિદૃાન છે કે તેમનો પગ કાપી નાખવામાં આવ્યો. ઉપરાંત ઁસ્ એ જણાવ્યું કે, આ બજેટ આગામી પચીસ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, આ વિશે સાંસદૃો જાય અને જનતાને જણાવે.પીએમએ રાજકીય પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહૃાું કે, દૃેશભરમાં ઘણા એવા નાના-નાના પક્ષો છે જેઓ આપણી સાથે આવી રહૃાા છે. આ સંખ્યા પચાસ ટકાથી પણ વધુ છે. આ દૃર્શાવે છે કે, આપણી રાજકીય વિચારધારાની દૃેશ અને વિદૃેશમાં કેટલી સ્વીકૃતિ છે. પીએમએ કહૃાું કે, એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. આ આપણી કૂટનીતિની એક મોટી જીત છે, અને તે દૃર્શાવે છે કે ધીરજનું ફળ હંમેશા મળે છે.

રિલેટેડ ન્યૂઝ