પશ્ર્ચિમ બંગાળ સહિત દેશમાં અનેક રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવી રહેલી ‘સર’ની કાર્યવાહી સામે જે રીતે વિરોધ સર્જાયો છે અને ચૂંટણી પંચના અનેક નિર્ણયો પર વિવાદ પણ સર્જાયો છે અને તેમાં પંચના અધિકારીઓએ સ્વીકાર્યુ હતું કે આ પ્રક્રિયા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેના કારણે પણ સમસ્યા વધી છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણી મતદાર યાદીમાં નામના સ્પેલીંગ કે અટકમાં થોડો ફેરફાર અથવા તો કોઇ વ્યક્તિએ પોતાનું સરનામુ બદલ્યું હોય અને તે માહિતી પણ આપી હોય તેમ છતાં તેના નામ કમી કરી દેવામાં આવ્યા છે. તે સમયે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્વીકાર્યું કે જુની મતદાર યાદી અને વર્તમાન ‘સર’ના ફોર્મમાં જે ખાસ કરીને રેકોર્ડમાં વિસંવાદિતા છે સોફટવેર પહેલા જુની મતદાર યાદી કે જે બંગાળીમાં લખાયેલી છે તેનું અંગ્રેજીમાં રુપાંતર કરે છે અને વર્તમાન મતદાર યાદીના આધારે તે સરખાવવા પ્રયત્ન કરે છે પરંતુ જુની અને નવી મતદાર યાદીમાં સ્પેલીંગ વગેરેની ભૂલથી જે તે નામ આપો આપ રદ થઇ જાય છે એટલું જ નહીં જુની મતદાર યાદી જે સ્કેન કરવામાં આવી છે તે કેટલી ચેકસાઇથી કરવામાં આવી છે તેના પર પણ આધાર છે અને તેથી આ સમસ્યા સર્જાઇ છે.