Jai Hind

DGCA એ બદૃલ્યો નિયમ ૪૮ કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા

લાખો હવાઈ મુસાફરોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ નોંધપાત્ર રાહત આપી છે. હવે, જો તમે બુિંકગના ૪૮ કલાકની અંદૃર તમારી લાઇટ ટિકિટ રદૃ કરો છો તો તમારી પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) દ્વારા નવા નિયમો હેઠળ આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેને મુસાફરોના હિતમાં વધુ પારદૃર્શક બનાવવામાં આવ્યા છે. મુસાફરોની ફરિયાદૃો અને ટિકિટ રિફંડમાં વિલંબને ધ્યાનમાં રાખીને ડ્ઢય્ઝ્રછ એ આ પગલું ભર્યું છે.
ડ્ઢય્ઝ્રછ ના નવા સુધારેલા નિયમો અનુસાર, જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરવામાં આવે છે તો મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વગર બુિંકગના ૪૮ કલાકની અંદૃર તેમની ટિકિટ રદૃ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર ૨૪ કલાકની અંદૃર તેને સુધારે છે, તો કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુિંકગ કરનારા મુસાફરોને લાગુ પડે છે.
જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદૃવામાં આવી હોય તો રિફંડ માટે એરલાઇન જવાબદૃાર રહેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) એ એરલાઇન્સને ૧૪ કાર્યકારી દિૃવસોમાં તમામ રિફંડ પ્રક્રિયા કરવા નિર્દૃેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે મુસાફરોને હવે વધુ રાહ જોવી પડશે નહીં, અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદૃર્શક હશે.