Jai Hind

કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય, ખેડૂતોને આપી રાહત, ૧.૭૪ લાખ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી!

સરકારે આગામી ખરીફ પાક માટે ડ્ઢછઁ અને દ્ગઁજી જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો

નવી દિૃલ્હી, તા.૮
વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દૃેશના માળખાગત વિકાસને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ ૧ લાખ ૭૪ હજાર ૨૦૭ કરોડ રૂપિયાના ૫ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દૃીધી છે.
૧. ખેડૂતોને ખાતર પર સબસિડી (૪૧,૫૩૪ કરોડ રૂપિયા) :- સરકારે આગામી ખરીફ પાક માટે ડ્ઢછઁ અને દ્ગઁજી જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે ૪૧,૫૩૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દૃુનિયાભરમાં ભલે િંકમતોમાં વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને ડ્ઢછઁની બોરી પહેલાની જેમ જ માત્ર ૧૩૫૦ રૂપિયામાં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે.
૨. રાજસ્થાનમાં ૐઁઝ્રન્ રિફાઇનરીનો રસ્તો સાફ (૭૯,૪૫૯ કરોડ રૂપિયા) :- ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકારે ૐઁઝ્રન્ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૭૯,૪૫૯ કરોડ રૂપિયાનું મોટું ભંડોળ મંજૂર કર્યું છે. આ પ્રોજેક્ટ માત્ર રાજસ્થાનનું આર્થિક ચિત્ર જ નહીં બદૃલે, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની હજારો નવી તકો પણ ઉભી કરશે.