ભારત સરકારે દિૃનેશ ત્રિવેદૃીને બાંગ્લાદૃેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દૃેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહૃાા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિૃનેશ ત્રિવેદૃીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળના રાજકારણને ધ્યાનમાં રાખતા તેને ભાજપનું એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે છે.
દિૃનેશ ત્રિવેદૃીની રાજકીય કારકિર્દૃી અનેક મહત્વના પડાવમાંથી પસાર થઈ છે. ભાજપમાં આવ્યા પહેલા તેઓ તૃણમૂલ કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં સામેલ હતા અને આ જ પાર્ટીના ક્વોટામાંથી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (ેંઁછ) સરકારમાં રેલ મંત્રી બન્યા હતા. જોકે, બાદૃમાં તેમણે ્સ્ઝ્ર થી અંતર જાળવી લીધું અને વર્ષ ૨૦૨૧માં ભાજપનો સાથ પકડ્યો.
દિૃનેશ ત્રિવેદૃી હવે પ્રણય વર્માના સ્થાને બાંગ્લાદૃેશમાં ભારતના હાઈકમિશનરની જવાબદૃારી સંભાળશે. જ્યારે પ્રણય વર્માને હવે બ્રસેલ્સ મોકલવામાં આવી રહૃાા છે, જ્યાં તેઓ યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૃૂત તરીકે કાર્યભાર સંભાળશે.
આ ફેરફાર ભારતની રાજદ્વારી વ્યૂહનીતિનો એક ભાગ માનવામાં આવે છે. બાંગ્લાદૃેશમાં હાલના વર્ષોમાં થયેલા રાજકીય ફેરફારોની અસર ભારત સાથેના સંબંધો પર પણ પડી છે.