Jai Hind

તેલંગાણામાં દૃુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ;જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદૃી પડ્યા

પશ્ર્ચિમ બંગાળના દૃક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં અકારા સંતોષપુર રેલવે સ્ટેશન નજીક ફાટી નીકળેલી ભીષણ આગમાં ૫૦થી વધુ કાચા મકાનો-ઝૂંપડા સળગીન્ો ખાખ થઈ ગયા હતા. આગના સ્થળેથી કાળો ધુમાડો નીકળી રહેલો શ્યમાન થાય છે.

પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા
કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે

હૈદૃરાબાદૃથી ચેન્નાઈ જઈ રહેલી ચારમીનાર એક્સપ્રેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રેન જ્યારે તેલંગાણાના યાદૃદ્રી ભુવનગીરી જિલ્લાના અલેર સ્ટેશન નજીક પહોંચી ત્યારે આ દૃુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ, ટ્રેનના જી૫ કોચમાં અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ દૃેખાવા લાગી હતી. કોચમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. ટ્રેન ઉભી રહે તે પહેલા જ પોતાનો જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેને કોચમાંથી બહાર કૂદૃી પડ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે, જોકે રેલવે દ્વારા સત્તાવાર તપાસ બાદૃ જ ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનને તાત્કાલિક રોકી દૃેવામાં આવતા મોટી હોનારત ટળી હતી. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી, પરંતુ અફરાતફરીમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે.
ઘટના સ્થળે હાજર મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેન અલેર સ્ટેશનની નજીક હતી ત્યારે અચાનક કોચમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોએ તુરંત ચેઈન પુિંલગ કરીને ટ્રેન ઉભી રાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રેનના કોચમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી સ્પષ્ટ જોઈ શકાય છે.
રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.