Jai Hind

ભારતના વિકાસ માટે બંને દરિયાકિનારા જરૂરી: ઓડિશાના મુખ્યપ્રધાને મુંદ્રા ખાતે પૂર્વીય દરિયાકિનારાના વિસ્તરણનું આહ્વાન કર્યું

ભારતનો વિકાસ એકતરફી રહી શકે નથી. ઔદ્યોગિક વિસ્તરણનો આગામી તબક્કો પૂર્વ કિનારા દ્વારા આગળ વધારવો જરૂરી છે, એમ ઓડિશાના માનનીય મુખ્યપ્રધાન શ્રી મોહન ચરણ માઝીએ મુંદ્રા પોર્ટની મુલાકાત દરમિયાન ઉદ્યોગ અગ્રણીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું. ભારતના પશ્ચિમ કિનારાની વ્યાપકતા અને કાર્યક્ષમતાથી પ્રેરણા લઈ, મુખ્યપ્રધાને પૂર્વ કિનારે વિકાસને ઝડપી બનાવવા માટે મજબૂત દલીલ રજૂ કરી હતી અને ઓડિશાને દેશના આગામી ઔદ્યોગિક વિકાસ માટે કુદરતી પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારો દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય કેન્દ્ર બની ગયો છે, ત્યારે પૂર્વ કિનારો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છેઅને ઓડિશા આવી જ સફળતાનું અનુસરણ કરીને તેને વધુ વિસ્તારવા માટે તૈયાર છે. પશ્ચિમી દરિયાકિનારે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે હવે પૂર્વ કિનારે વિસ્તરવી જોઈએ. આ પરિવર્તન શક્ય બનાવવા માટે ઓડિશા પાસે યોગ્ય ઇકોસિસ્ટમ, કનેક્ટિવિટી અને પોલિસી સપોર્ટ ઉપલબ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.