વરસાદમાં ભારે ઘટાડો અને તાપમાનમાં વધારો ભારતમાં નબળુ ચોમાસુ, ભીષણ લૂ અને દૃુષ્કાળની ભીતિ

WMO અનુસાર, આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં દૃેશના ઘણા ભાગોમાં વરસાદૃ સામાન્ય કરતાં ૫૦ થી ૭૦ ટકા ઓછો થઈ શકે છે

WMO અને NASA એ ચેતવણી આપી છે કે, વર્ષ ૨૦૨૬માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની, જુલાઈ-ઓગસ્ટમાં ૫૦-૭૦% ઓછો વરસાદૃ પડવાની અને ભીષણ લૂ (હીટવેવ) આવવાની આશંકા છે. આનાથી જળ સંકટ ઘેરું બની શકે છે. વિશ્ર્વ હવામાન વિજ્ઞાન સંગઠને ચેતવણી આપી છે કે, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે, જે વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે. ઉર્સ્ંના જણાવ્યા અનુસાર, જૂનથી ઓગસ્ટ ૨૦૨૬ દૃરમિયાન ૮૦ ટકા અને નવેમ્બર સુધીમાં ૯૦ ટકાથી વધુ સંભાવના છે કે, અલ-નીનો સક્રિય રહેશે. આ કુદૃરતી આબોહવા પરિવર્તનની ઘટના ભારતના ચોમાસા, તાપમાન અને કૃષિ ક્ષેત્રને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે પહેલાથી જ ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરી છે, અને અલ-નીનો આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહૃાું છે. ઉર્સ્ં અનુસાર, આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં દૃેશના ઘણા ભાગોમાં વરસાદૃ સામાન્ય કરતાં ૫૦ થી ૭૦ ટકા ઓછો થઈ શકે છે. ઉત્તર, ઉત્તર-પશ્ર્ચિમ, પશ્ર્ચિમ અને દૃક્ષિણ ભારતમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની સંભાવના ૬૦-૭૦ ટકા જેટલી છે. દ્ગછજીછની સેટેલાઇટ તસવીરોએ પણ પુષ્ટિ કરી છે કે, ટ્રોપિકલ પેસિફિકમાં ગરમ પાણી ફેલાઈ રહૃાું છે. ટ્રેડ વિન્ડ્સ નબળા પડવા અને સમુદ્રની સપાટી ઊંચી આવવાને કારણે અલ-નીનોની શરૂઆત સ્પષ્ટ દૃેખાઈ રહી છે. સતત ત્રણ વર્ષના લા-નીના બાદૃ હવે અલ-નીનો પરત ફરી રહૃાું છે, જે હવામાનને વધુ અનિશ્ર્ચિત બનાવી રહૃાું છે.જૂન ૨૦૨૬ સુધીમાં દૃેશમાં પહેલાથી જ ૪૦-૪૬ ટકા વરસાદૃની અછત નોંધાઈ ચૂકી છે. અલ-નીનોના કારણે ભેજવાળા પવનો નબળા પડી રહૃાા છે, જેના લીધે મધ્ય ભારત, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદૃેશ જેવા રાજ્યોમાં દૃુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. બિહાર, ઉત્તર પ્રદૃેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદૃેશ જેવા રાજ્યોમાં તાપમાન અત્યારથી જ ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ગરમ હવા વધુ ભેજ શોષી લે છે, જેના કારણે જ્યાં વરસાદૃ પડે છે, ત્યાં ભારે વરસાદૃ થાય છે, પરંતુ મોટાભાગના વિસ્તારો સૂકા અને ગરમીની ઝપેટમાં આવી જાય છે. ઉર્સ્ંના વડા સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું છે કે, ’સરકારોએ દૃુષ્કાળ, ભારે વરસાદૃ અને લૂ (હીટવેવ) માટે તૈયાર રહેવું જોઈએ.’ભારતમાં ઓછો વરસાદૃ થવાને કારણે ખરીફ પાક (ડાંગર, મકાઈ, સોયાબીન વગેરે)ને ભારે નુકસાન થઈ શકે છે. જળાશયોનું જળસ્તર ઘટશે, વીજ ઉત્પાદૃન ઓછું થશે અને ગ્રામીણ અર્થતંત્ર પર બોજ વધશે. આ અગાઉ ૧૯૭૨, ૨૦૦૯ અને ૨૦૧૫ જેવા અલ-નીનો વર્ષોમાં ભારતને મોટું આર્થિક નુકસાન થયું હતું. સરકારને દૃુષ્કાળ સામેની તૈયારી, જળ વ્યવસ્થાપન અને પાક વીમા પર તાત્કાલિક કામ કરવાની સલાહ આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ નો અલ-નીનો ભારત માટે એક મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ