Jai Hind

સોમનાથ મહાદેવથી વિશેષ ટ્રેનો શરૂ કરવા મીનાબા જાદવ દ્વારા રજુઆત કરાઈ

વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા હજારો લાખો ભાવિકો સીનીયર સીટીઝન પરિવારો માટે શ્રેષ્ઠ ટ્રેન ની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ અને કૌસ્તુભ ડીફેન્સ ટ્રેનીંગ સેન્ટર પ્રમુખ મીનાબા જાદવ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા ભારતીય જનતા પાર્ટીના અધીક્ષક અને મુખ્યમંત્રી સહીત રેલવે સમિતિ ભાવનગર અને મુંબઈ સહિત ને પત્ર પાઠવી રાજકોટ નાથદ્વારા ટ્રેન તેમજ રાજકોટ હરીદ્વાર ટ્રેન વેરાવળ સોમનાથ સુધી લંબાવવામાં આવે તેમજ વેરાવળ રાજકોટ સટલ ટ્રેન અને સોમનાથ દ્વારકા ઓખા ટ્રેન વેરાવળ દિવસે પણ ચાલુ થાય અને સોમનાથ મુંબઈ ટ્રેન વ્યવહાર વધુ શરૂઆત થાય તો હજારો લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સોમનાથ મહાદેવ મંદિર અવર જવર માટે શ્રેષ્ઠ ટ્રેન વ્યવહાર ની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી રજૂઆત કરવામાં આવેલ છે