ગાયકવાડે ગુજરાત સામે ૪ ઇિંનગ્સમાં ૬૯.૫ની એવરેજ અને ૧૪૫.૫ના સ્ટ્રાઇક રેટથી ૨૭૮ રન બનાવ્યા
મુંબઈ,તા.૨૪
ચેન્નાઈ સુપર િંકગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઈપીએલ ૨૦૨૩ ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, ૨૩ મેના રોજ રમાઈ હતી, જેમાં મહેન્દ્ર િંસહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર િંકગ્સ ૧૫ રનથી જીતી હતી.
પ્રથમ બેિંટગ કરતા ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. ટીમ વતી રૂતુરાજ ગાયકવાડે ૪૪ બોલમાં ૬૦ રનની શાનદૃાર ઇિંનગ રમી હતી. આ ઇિંનગ બાદૃ ગાયકવાડે આરસીબીના વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
ગાયકવાડની ઇિંનગ્સમાં ૭ ફોર અને ૧ સિક્સ સામેલ હતી. ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં ૪ મેચ રમાઈ છે અને તમામ મેચોમાં રૂતુરાજ ગાયકવાડે અડધી સદૃી ફટકારી છે.
ગાયકવાડે ગુજરાત સામે ૪ ઇિંનગ્સમાં ૬૯.૫ની એવરેજ અને ૧૪૫.૫ના સ્ટ્રાઇક રેટથી ૨૭૮ રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ ગુજરાત વિરૂદ્ધ ત્રણ ઇિંનગ્સમાં ૧૧૬ની એવરેજ અને ૧૩૮.૧ના સ્ટ્રાઈક રેટથી ૨૩૨ રન બનાવ્યા છે. આ દૃરમિયાન તેણે ૧ સદૃી અને ૨ અડધી સદૃી ફટકારી છે.
ગાયકવાડે કોહલી કરતાં ગુજરાત સામે વધુ રન બનાવ્યા છે. આઈપીએલ ૨૦૨૩ ની પ્રથમ લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર િંકગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતનો ૫ વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ચેન્નાઈના ઓપનર ગાયકવાડે ૯૨ રનની ઈિંનગ રમીને બધાના દિૃલ જીતી લીધા હતા. ગાયકવાડે અત્યાર સુધી ચાર મેચમાં ગુજરાત સામે ૭૩ (૪૮), ૫૩ (૪૯), ૯૨ (૫૦) અને ૬૦ (૪૪) રનની ઇિંનગ્સ રમી છે.
ચેન્નાઈ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદૃ ગુજરાત પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. ટીમ તેની બીજી ક્વોલિફાયર મેચ ૨૬ મે, શુક્રવારે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રમશે.