ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે સૌથી વધુ ૮માંથી ૬ મેચ જીતી છે
મુંબઈ,તા.૨૫
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વર્ષ બાદૃ હોમ અને અવે મેચો પરત આવી છે. તમામ ટીમોએ તેમની અડધી લીગ મેચ હોમગ્રાઉન્ડ અને બાકીની અડધી મેચ અવે ગ્રાઉન્ડ રમી હતી. સામાન્ય રીતે હોમ ગ્રાઉન્ડ પર રમવું ફાયદૃાકારક છે પરંતુ આ સિઝનમાં ટ્રેન્ડ અલગ રહૃાો છે.
મોટાભાગની ટીમોએ અવે વેન્યુ એટલે કે વિરોધી ટીમોના હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદૃર્શન કર્યું છે. હોમ ટીમ લીગ તબક્કામાં ૬૦% મેચ હારી હતી. હૈદૃરાબાદૃ ઘરઆંગણે સૌથી વધુ હારી ગઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર િંકગ્સે આ ટ્રેન્ડને તોડી નાખ્યો છે. ઘરઆંગણે સિક્કાનો ટૉસ લખનૌની ટીમ માટે ક્યારેય અપેક્ષા મુજબનો રહૃાો નથી. ટીમ ઘરઆંગણે તમામ ટોસ હારી ગઈ હતી.
મુંબઈ ઈન્ડિયન્સે તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં લીગ તબક્કાની ૧૪ માંથી ૭ મેચ રમી હતી. તેમાંથી ટીમ ૫ જીતી અને માત્ર ૨ હારી. ચેન્નાઈ ચેપોક ખાતે ૧૫ માંથી ૮ મેચ રમી, જેમાંથી ૫ જીતી. બીજી તરફ, પંજાબ િંકગ્સ અને સનરાઇઝર્સ હૈદૃરાબાદૃને ઘરઆંગણે સૌથી વધુ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંને પોત-પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ૭માંથી ૬ મેચ હારી ગયા.
પંજાબને એકમાત્ર જીત મોહાલીમાં મળી હતી. ધર્મશાલામાં રમાયેલી બંને મેચમાં તેમને દિૃલ્હી અને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને મેદૃાન આ સિઝનમાં પંજાબનું હોમ ગ્રાઉન્ડ હતું.
ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે સૌથી વધુ ૬ મેચ જીતી છે. તેણે ૮માંથી ૬ મેચ જીતી છે. તે જ સમયે મુંબઈ, દિૃલ્હી અને હૈદૃરાબાદૃને સૌથી વધુ ૪-૪ હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદૃરાબાદૃને ઘરઆંગણે કરતાં અવે ગ્રાઉન્ડ પર ૨ વધુ જીત મળી છે.