એશિયા કપની યજમાની અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી:જય શાહ
મુંબઈ,તા.૨૫
એશિયા કપ ૨૦૨૩ના આયોજનનો નિર્ણય આ અઠવાડિયાના અંત સુધીમાં લેવામાં આવી શકે છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહૃાું કે આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ દૃરમિયાન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદૃેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ આઈપીએલ સિઝન-૧૬ની ફાઈનલ જોવા માટે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમમાં એકઠા થશે. આ દૃરમિયાન એશિયા કપ ૨૦૨૩ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન આ બેઠકનો ભાગ નહીં બને. આ વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દૃીધી છે.
જય શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી એશિયા કપની યજમાની અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે આઈપીએલમાં વ્યસ્ત છીએ પરંતુ શ્રીલંકા, બાંગ્લાદૃેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આઈપીએલની ફાઈનલ મેચ જોવા આવી રહૃાા છે. આ દૃરમિયાન અમે યોગ્ય સમયે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈશું. ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ દૃરમિયાન જય શાહે જાહેરાત કરી હતી કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. ત્યાર બાદૃ પાકિસ્તાને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ ૨૦૨૩માં ભાગ ન લેવાની ધમકી આપી હતી.
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી ધમકી બાદૃ એસીસીની બેઠક થઈ જેમાં પાકિસ્તાન થોડું નરમ પડ્યું અને હાઇબ્રિડ મોડલની માંગણી કરી હતી. આ મોડલમાં બે વિકલ્પ હતા, પહેલો ભારતની બીજી મેચ ન્યુટ્રલ વેન્યુ અને બાકીની મેચ પાકિસ્તાનમાં રાખવાનો હતો. બીજા વિકલ્પમાં લીગ સ્ટેજની પ્રથમ ચાર મેચો પાકિસ્તાનમાં રમવાની હતી અને બાકીની તમામ મેચો ન્યુટ્રલ વેન્યુએ રમવાની હતી. પાકિસ્તાનને આ હાઈબ્રિડ મોડલ માટે ચાર દૃેશોનું સમર્થન મળ્યું છે. પરંતુ આ સ્પષ્ટ નથી થયું કે આ હાઈબ્રિડ મોડલમાં કયા વિકલ્પની પસંદૃગી કરવામાં આવી છે.