દ્વારકાધીશને ચાંદીની પિચકારીમાં કેસર જળનો છંટકાવ

આજરોજ મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થયો હોય, દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. આજરોજ સવારે પોણા અગિયાર વાગ્યે યોજવામાં આવતી શૃંગાર આરતી સમયેથી ભાવિકો ઠાકોરજીની પ્રસાદીરૂપ અબીલ-ગુલાલની પોટલીઓથી રંગે રંગાયા હતા. આજથી ફુલડોલ ઉત્સવ સુધી સવાર-સાંજ બન્ને સમયે જગતમંદિર પરિસરમાં પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે. (તસ્વીર:- કુંજન રોડીયા – દ્વારકા)

રિલેટેડ ન્યૂઝ